March 12, 2025
ફોટો નિબંધ: અમદાવાદની બોઈલર ફેક્ટરીઓના શ્રમિકો
અમદાવાદમાં બોઈલર ફેક્ટરીઓમાં એક તરફ ઔદ્યોગિક ધોરણોનું ઉલ્લંઘન થાય છે, તો બીજી તરફ શ્રમિકો ગરમ, ભેજવાળી અને અત્યંત અસુરક્ષિત પરિસ્થિતિઓમાં કામ કરવાનું ચાલુ રાખે છે.
ભાર્ગવ ઓઝા આજીવિકા બ્યુરો ખાતે રિસર્ચર અને ડેવલપમેન્ટ પ્રેક્ટિશનર છે . તેમનું કામ અમદાવાદમાં અનૌપચારિક સ્થળાંતરિત કામદારોના અધિકારો પર કેન્દ્રિત છે; તેમાં શહેરી પ્રશાસન, શ્રમ અનૌપચારિકતા, વ્યવસાયિક સલામતી, સ્થળાંતર અને શહેરી નીતિનો પણ સમાવેશ થાય છે. પોતાના કામમાં શ્રમ અને કાયદાના પ્રશ્નોને વધુ સારી રીતે સંકલિત કરી શકે એ માટે હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી કરી રહ્યા છે. ભાર્ગવે સીઈપીટી યુનિવર્સિટીમાંથી પ્લાનિંગમાં એમફીલ અને આઈઆઈટી ગાંધીનગરમાંથી સમાજ અને સંસ્કૃતિમાં એમએ કર્યું છે.