April 8, 2026
ક્ષેત્રીય કાર્યકરો માટે: એલપીજીની રામણ, અવિશ્વાસની અકળામણ
એલપીજીની અછત એ માત્ર બળતણની અછતનો સવાલ નથી - આ અછત સ્વચ્છ રસોઈ-ઇંધણ માટે કરેલા વર્ષોના કામને અને સમુદાયો સાથે કેળવેલા વિશ્વાસને પણ નુકસાન પહોંચાડી રહી છે.
રમા એક પરિવર્તન એજન્ટ તરીકે કામ કરે છે, તેઓ ભલસ્વામાં રહેતા સમુદાયોની મહિલાઓને (પરંપરાગત ચૂલા છોડીને) સ્વચ્છ રસોઈ-ઇંધણ અપનાવવામાં મદદ કરે છે. તેમને ક્ષેત્રીય કાર્યકર (ફિલ્ડ વર્કર) તરીકે 17 વર્ષનો અનુભવ છે. અગાઉ, રમા આશા કાર્યકર તરીકે કામ કરતા હતા.